શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આયોજિત “મિશન જર્મની – ૧૧૧”

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત
🙏હર મહાદેવ, જય પરશુરામ 🙏
સર્વે બ્રહ્મબંધુઓને જણાવવાનું કે બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર ના પ્રમુખ શ્રી અમિતભાઈ જોશી ના “ધ એમ્પાયર ઈમીગ્રેશન,ગાંધીનગર ના સહયોગથી *કોઈપણ પ્રકારની કન્સલ્ટન્સી ફી લીધા વગર ફ્કત બ્રહ્મસમાજ ની સેવાર્થે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના મળીને કુલ ૧૧૧ દીકરા- દીકરીઓને નોકરી માટેના “જોબ-સિકર વિઝા” ઓપન વર્ક પરમિટ અપાવી જર્મની મોકલવા માટેનું ભવ્ય આયોજન* કરવામાં આવેલ છે.

*દક્ષિણ ગુજરાતના વસતા બ્રાહ્મણ સમાજ ના દીકરા દીકરીઓ ના માટે મિશન જર્મની ૧૧૧ નાં માર્ગદર્શન નો કાર્યક્રમ સુરત ખાતે યોજવામાં આવી રહ્યો છે જેમાં વધુ સંખ્યામાં લાભ લેવા નમ્ર વિનંતી.*
દિનાંક :- ૦૮/૦૬/૨૦૨૫ ને રવિવાર
સમય :- સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી
સ્થળ :- સંસ્કાર ભારતી સ્કુલ ઓડિટોરિયમ, પાલનપુર પાટિયા પાસે શાકભાજી માર્કેટની પાસે, તાડવાડી, રાંદેર રોડ, સુરત.

નોંધ :-
(૧) આ પ્રોગ્રામ માં જર્મની જવા માટે કોઈ પણ સ્ટ્રીમ માં ગ્રેજ્યુએશન થયેલ હોવા જોઈએ. સાથે વય મર્યાદા ઉંમર વર્ષ ૨૧ થી ૪૫ સુધીની છે.
(૨) આ માર્ગદર્શન કાર્યક્રમમાં હાજર રહેવા માટે શ્રી નિકુંજ આચાર્ય (મહામંત્રીશ્રી) મો . નં.9624262884 પર નામ નોંધાવવા જરૂરી છે.
આ માર્ગદર્શન કાર્યક્રમમાં હાજર રહેશે તેમને જર્મની મોકલવામાં અગ્રતા આપવામાં આવશે.
(૩) આ મેસેજ ને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં રહેતા બ્રહ્મસમાજના સોશિયલ મીડિયામાં તથા તમારા કુટુંબ પરિવારના સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરી બ્રહ્મસમાજ ની સેવાનો લાભ લેવા નમ્ર વિનંતી.
(૪) દ. ગુ. માં ભરૂચ, નર્મદા, સુરત મહાનગર, સુરત,નવસારી, વલસાડ, ડાંગ જિલ્લા નો સમાવેશ થાય છે.
(૫) કાર્યક્રમના હોલમાં કોઈપણ પ્રકારના ખાદ્યપ્રદાર્થ લઈ જવાની મનાઈ છે.
“સંગઠિત બ્રાહ્મણ, સમર્થ બ્રાહ્મણ”
નિમંત્રક
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત ટીમ.
સંપર્ક સૂત્ર :- પ્રમુખ, જયદીપ ઘનશ્યામ ત્રિવેદી
૯૮૨૫૧ ૪૮૨૪૯