સુરત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘની 39મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સુરત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સંઘની 39 મી વાર્ષિક સાધારણ મહાસભા સુરત રૂસ્તમપુરા ખાતે આવેલ કોમ્યુનિટી હોલ,આશાપુરી માતા મંદિર પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ મહોદય શ્રી રાજેન્દ્રકુમાર કાપડીયાના પ્રમુખ પદે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના ઉપાધ્યક્ષ શ્રીમતી રંજનાબેન ગોસ્વામીના અતિથિ વિશેષ પદે યોજવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાનો તરીકે સાહિત્યકાર અને પ્રખર વક્તા શ્રી પ્રકાશ પરમાર અને ડોક્ટર પ્રીતિબેન સદાડીયા હાજર રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં દીવંગત સભ્યોને ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોને તેમજ પહલગામમાં આતંકવાદીઓ દ્વારા મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગત વાર્ષિક સભાની મિનીટ્સ વાંચી બહાલી અને સને 2024/25 ના વર્ષનો વાર્ષિક અહેવાલ હિસાબની મંજૂરી અને ઓડીટ હિસાબના રિપોર્ટ્સ નું વાંચન કરી બહાલી આપવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત 70 વર્ષ પૂર્ણ કરનાર સભાસદાશ્રીઓનો તથા સંસ્થાને ઉદાર હાથે દાન આપનાર દાન દાતાશ્રી સભાસદોનું મહાનુભાવો દ્વારા સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સંઘની ઓફિસ માટે મકાન ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

આ તબક્કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માનવંતા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રકુમાર કાપડિયા અને ઉપાધ્યક્ષ શ્રીમતી રંજનબેન ગોસ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે નિવૃત્ત શિક્ષકોના દરેક સમસ્યાઓને નિકાલ કરવા અને સંઘની પ્રસંશનીય કામગીરીને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત મહાનગર નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મોહનભાઈ પરમાર,મહામંત્રી શ્રી ગણપતભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી પ્રતિભાબેન શાહુકાર,ખજાનચી શ્રી દિનેશચંદ્ર ચૌધરી,સહમંત્રી અંબાલાલ સહાદિયા,અન્વેષકો જગજીવનભાઈ પટેલ, ગીરીશભાઈ મોદી,રાજેન્દ્ર બાલાજી વાલા, દિલીપસિંહ બોરાધરા,ધીરજલાલ જાદવ અને નિવૃત્ત શિક્ષક સંઘના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.